sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

86. નકામું છે.


ધ્યેય વગરનું કાર્ય કરવાનું નકામું છે.
મરી ગયા પછી અમૃત આપવાનું નકામું છે.
આબરુ ગયા પછી જીવન જીવવાનું નકામું છે.
ચોરી કરી દાન આપી દાનવીર થાવાનું નકામું છે.
આસ્થા વગરનું તપ કરવાનું નકામું છે.
ચરણાગતિ સ્વીકારી લિધા પછી યુદ્ધ કરવાનું નકામું છે.
આંખ જાય ત્યાં અજવાસ કરવાનું પુરુ નકામું છે.
માબાપની સેવા કર્યા પછી ચાર ધામની યાત્રા કરવાનું નકમું છે.
"મહિમા" વગરનું માન લેવાનું સાવ નકામું છે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...