sangeeakhil

ગુરુવાર, 19 મે, 2022

અમદાવાદની સફરે... ભાગ - 2 મોંઘવારી

અમદાવાદની સફરે... ભાગ - 2

મોંઘવારી




માણસના અસ્તિત્વના સમયે માણસની ઘણી પ્રજાતિ હતી. જે ઑસ્ટ્રિલીયા, અમેરિકા, આફ્રિકા જેવા અલગ અલગ વિસ્તારોમાં વચેલી હતી. કુદરતી પ્રકોપ અને અંદરો અંદરની લડાઈએ તેમને ખતમ કરી નાખી. હાલ જે એક પ્રજાતિ બચી તે છે "સેપિયન્સ", એટલે કે આપણે. એ વખતે નાતો ભગવાનનું કોઈ અસ્તિત્વ હતું અને નાતો ભૂતોનું. હતું બસ માત્ર પશુ, પ્રાણી,પક્ષી અને પ્રકૃતિનું. મોંઘવારીનું કોઈ અસ્તિત્વ નહોતું.


મોંઘવારીના મારથી અમદાવાદવાસીઓ મરી રહ્યાં છે. પોતાના જ પરિવારથી વિખુટા પડી રહ્યાં છે. સ્ત્રીઓ પોતાનો વ્યવસાય બદલી રહી છે. લોહીના વ્યવસાયમાં ધકેલાઈ રહી છે. અમદાવાદમાં એવા ઘણા પરિવારો છે જે પોતાના પરિવારની સ્ત્રીને એ કામ કરવા પ્રોતસાહિત કરે છે અને મોકલે છે. ઘણી સ્ત્રીઓ એવી છે જે પોતાના દુધ પીતા બાળકને રડતા મુકીને જાયે છે. તેમા પણ કોરોનામાં અને કોરોના પછી તેમા ઘણો વધારો થયો છે. કોલેજમાં ભણતી કે નોકરી કરતી સ્ત્રી પાર્ટટાઈમ માટે પણ પ્રોસિટ્યુશનના વ્યવસાય કરવા મજબુર બની ગઈ છે. મોંઘવારીના મારથી પોતાનું ઘર ચલાવી શકાય એટલા પણ પૈસા આવતા નથી. ના છુટકે આમા જોડાવું પડે છે અને ડોર ટુ ડોર કે હોટલ ટુ હોટલ સર્વિસ આપવી પડે છે. લોહીનો વ્યાપાર ગરીબ સ્ત્રીઓ જ કરે છે એવું નથી પણ જે સ્ત્રીઓ પ્રોફેશનલ બેગ્રાઉન્ડ ધરાવે છે તે પણ જોડાયેલી છે. એમ કહી શકાય કે મોંઘવારીનો માર બધા જ પરિવારોને પડેલો છે.


મોંઘવારીની સમસ્યાને ઉકેલવાના બદલે ધર્મની અને જાતીપાતીની સમસ્યાને સત્તાધારી વ્યક્તિ પેદા કરાવી રહ્યા છે. જેથી કરીને મોંઘવારીને મુખ્ય મુદ્દો બનાવી ના લે અને પોતાની સત્તા સામે પ્રજા ના ચઢી બેસે. ભારતની આજુબાજુના દેશો બાંગ્લાદેશ, શ્રી લંકા, મ્યાનમાર, પાકિસ્તાન, નેપાલ જેવા પાડોશી દેશોએ મોંઘવારીના મારથી પોતાના દેશમાં ઉથલપાથલ મચાવી દીધી છે. દુનિયાના ઘણા દેશોમાં યુદ્ધો ચાલી રહ્યા છે. આ યુદ્ધના મુળ કારણોમાં જોવા જઈએ તો મોંઘવારી છે.


પહેલાના સમયમાં પરિવારનો એક સભ્ય નોકરી કરતો અને પરિવારના બાકીના સભ્યો શાંતિથી ખાતા હતા. અત્યારે પરીવારના બધા જ સભ્યો નોકરી કરે છે તે છતા શાંતિથી ખઈ નથી શકતા તેનુ મુખ્ય કારણ છે મોંઘવારી. આ મોંઘવારીને સામે લડવા માટે અમદાવાદમાં યુવાનો પાવડર વેચતા થઈ ગયા છે. નગ વેચતા થઈ ગયા છે. કસ્ટમર સાથે અને પોલીસ સાથે ડીલ કરી લેતા હોય છે. 


અમદાવાદમાં રહેતા માણસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ના તો તે આઘો જઈ શકે છે અને ના તો તે અમદાવાદમાં રહી શકે છે. જો તે આઘો જાય તો ડુબી જવાની બીક રહે છે અને અમદાવાદમાં રહે તો મોંઘવારીનો માર સહન કરવો પડે છે. સત્તાધારીઓ જેમ લડાવે તેમ લડવું પડે છે અને મરવું પડે છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાવુ શું ?  અને રહેવું ક્યા એ પ્રશ્ન અમદાવાદીઓ સતાવી રહ્યો છે.


મોંઘવારીનો પ્રશ્ન પોતાના દેશમાં કદી સોલ થાય એમ જ નથી. માત્ર તેને નવી નવી સમસ્યાઓ ઉભી કરીને નિયંત્રણમાં રાખી શકાય એમ છે. મોઁઘવારીનો ઉકેલ એક રીતે જ થઈ શકે. જે વ્યક્તિ કે દેશ મુડીનું નિયંત્રણ કરતો હોય તે ઉકલવા માગે તો નહિતર યુદ્ધ થઈ શકે પણ મોંઘવારીનો ઉકેલ ના થઈ શકે.


મોંઘવારી એક વ્યક્તિ કે એક દેશને નડી રહી છે એવું નથી પણ પુરી દુનિયાને નડી રહી છે. પુરી દુનિયા મોંઘવારીની આગમાં બળી રહી છે કદાચ કોઈની પાસે બેંક બેલેન્સ થોડું વધારે હોય તો તેને ખબર થોડી મોડી પડે એવું બને પણ મોંઘવારીની આગ એને પણ છોડતી તો નથી.


અમદાવાદની વધુ વાત આવતા એપીસોડમાં......

 

By A. M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...