સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામે આકાશમાંથી ગોળ આકારના ગોળા પડ્યા છે. તેવી રીતે આણંદ જિલ્લા ના ગામોમાં અને વડોદરા જિલ્લાના ગામોમાં પણ આવા પદાર્થો પડ્યા છે. સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં એક સીધી રેખામાં પડ્યા છે. તેથી કોઈ એક જ અવકાશી પદાર્થમાંથી છુટા પડ્યા હશે તેવું માની શકાય છે. લોકોએ આવું પહેલીવાર જોયું હોવાથી કુતુહલ પેદા થયું છે. આ બધા જ ગોળાઓ પોલિસે પોતાના કબ્જામાં લઇ લીધા છે. વધુ જાણકારી માટે ફોરેન્સિકને સોંપવામાં આવ્યા છે. જે કાળા કલરના મટિરિયલથી કવર કરવામાં આવેલ હતા. આ મટિરિયલને સળગાવવાનો ટ્રાય કર્યો તો તે સળગ્યું પણ નહોતું. તેથી તે કોઈ ખાસ છે તેવું માની લીધું હતું. ઘણા લોકોનું માનવું છે કે આ ગોળા કુત્રિમ ઉપગ્રહમાંથી છુટો પડેલો કાટમાળ હોવો જોઇએ. તેની વધુ જાણકારી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી મળી શકશે.
By A.M. KAMEJALEEYA

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો