#શું પોતાની સાથે કરેલા લગ્ન કાયદો માન્ય ગણશે ?
વડોદરામાં એક યુવતી પોતાની સાથે પોતે લગ્ન કરવા ઈચ્છે છે. જેને "આત્મલગ્ન" તરીકે ઓળખાવામાં આવે છે. તે યુવતીનું નામ ક્ષમા બિંદુ છે. તે વડોદરામાં રહે છે. એક વેબ જોવાના કારણે તેને આવો વિચાર આવ્યો. તે એવું કહે છે કે "મને દુલ્હન બનવાનો શોખ છે પણ પત્ની બનાવાનો નહીં." ભારતમાં ઘણી જગ્યાએ એવા ન્યૂઝ સાંભળવાં મળતાં હોય છે, જેમાં કોઈ યુવતી કુતરા સાથે લગ્ન કરતી હોય. કોઈ યુવક સાવરણી સાથે લગ્ન કરતો હોય. કોઈ યુવતી ખુટીયા સાથે લગ્ન કરતી હોય. કોઈ યુવતી ખાંડુ એટલે કે તલવાર સાથે લગ્ન કરતી હોય. મુસ્લિમ સમાજમાં તલાક પછી તેજ પુરુષ સાથે લગ્ન કરાર કરવા હોય તો તે યુવતી એ કોઈ બીજા પુરુષ સાથે લગ્ન કરાર કરવા પડે છે. બીજા પુરુષને તલાક આપી તે ફરી તેના તે પુરુષ સાથે લગ્ન કરાર કરી શકે છે. આ બધાની સામે કોઈ વસ્તુ કે વ્યક્તિ છે પણ વડોદરાની યુવતી સામે એવી કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી.
હિન્દુ રીતિરિવાજ પ્રમાણે લગ્ન એ સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર માનવામાં આવે છે. લગ્નની વિધિઓ બે વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે. તો એક વ્યક્તિ કેવી રીતે કરી શકે ? કન્યાનું દાન માતા-પિતા કોને કરશે?
પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું પોતાની સાથે કરેલા લગ્ન કાયદો માન્ય ગણશે ? સરકાર કોઈ તેના ઉપર નિવેદન આપશે ? આવા લગ્ન કરાવવા કોઈ પુજારી તૈયાર થશેે ? કોઈ વકીલ આવા લગ્ન કરાવી આપશે ? લગ્નનું રજીસ્ટ્રેશન થઈ શકશે ? વડોદરાના લોકો એને સાથ આપશે કે નહીં.
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો