#અમદાવાદમાં ટ્રાફિક કેમ હોય છે?
અમદાવાદ શહેરના રસ્તાઓ ઘણાં પહોળા છે. જ્યાં મોટા મોટા વાહનો આરામથી નીકળી જઈ શકે છે. જુના અમદાવાદ ને બાદ કરતા બાકીના બધા જ રસ્તાઓ ખાસા પહોળા છે.
![]() |
| Photography by A. M. Kamejaleeya |
અમદાવાદ માં સાંજે અને સવારે ઓફિસ થી છુટવાના સમયે અને ઓફિસ જવાના સમયે સૌથી વધારે ટ્રાફિક જોવા મળે છે.
અત્યારે લોકો સરકારી વાહનમાં જવાને બદલે પ્રાઈવેટ વાહનમાં પોતાના નોકરીના સ્થળે કે પોતાની ઓફિસ જવાનું વધારે પસંદ કરે છે. કારણ કે સરકારી વાહનનું કોઈ ઠેકાણું હોતું નથી. ટ્રાફિકના કારણે કામના સ્થળે જલદી પહોંચાડતાં હોતા નથી.
રસ્તા ઓ ની આજુબાજુ જે પોતાની ટપરીઓ અને લારી ગલ્લા લોકોએ જે પ્રમાણે ઊભા કર્યા છે તેનાં લીધે રસ્તા ઓ સાંકડા થતાં ગયાં છે. રસ્તા ની બંને બાજુએ ૧૦ ફુટ સુધીનો રસ્તો રોકીને બેઠાં હોય છે. આ જે લોકો રસ્તો રોકીને બેઠાં છે તે મોટા ભાગે ગુજરાત બહારના લોકો હોય છે. જે લોકો પોલીસને પોતાનો હપ્તો ટાઇમ ટુ ટાઇમ આપી દેતા હોય છે તેથી દબાણ અધિકારીઓ તેમને રોકટોક વગર ધંધો કરવા દેતા હોય છે. આ પર થી એવું કહી શકાય કે ટ્રાફિક વધારમાં ગુજરાત બહારના લોકોનો સૌથી વધારે હાથ છે.
અમદાવાદ ના કમિશનર જો કોઈ કડક પગલાં લે તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે.
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો