કલમ
કેટલી રડતી હશે ?
રામાયણની
રચના કલમ લખતી હશે.
વાલ્મીકીને
વારી-વારી વિનવતી હશે.
આ
કથા લખતા કલણ કેટલી ડરતી હશે.
કૈકયના
કારણે કૌસલ્યા કેટલી રડતી હશે.
રામાયણમાં
રામની વિદાય વસમી હશે.
વંસમાં
વિદાયનાં પ્રસંગો કેમ લખતી હશે ?
જગત
જનની સિતા વન-વન ભટકતી હશે.
રાવણના હાથે સિતાનું હરણ કેમ કરતી હશે ?
રામસિતાના
વિરહની વેદના કેમ સહેતી હશે ?
એકલી
તપોવનમાં લવકુશને જન્મ આપતી હશે,
પ્રસ્તુતી
પીંડા કેમ સહન કરતી હશે ?
રામાણયમાં
રામારાજ્યનો પ્રાણ પુરતી હશે ?
ત્યારે
કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?
વૈદેહીનાં
દુઃખનો "મહિમા" ગાતી હશે,
ત્યારે
નૈનથી નિર વહાવાને સમદરને છલકાવતી હશે.
રામાયણનું
મહાકાવ્ય કલમ લખતી હશે,
ત્યારે
કલમ કેટલી રડતી હશે ?
કલમ કેટલી રડતી હશે ?
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો