કલમ
કેટલી રડતી હશે ?
મહાભારતનું
મહાકાવ્ય કલમ લખતી હશે.
વ્યાસને
વારી-વારી વિનવતી હશે.
આર્યવ્રતની
સામરાગીની પર્ણકુટીમાં વસ્તી હશે
આ
કથા લખતા કલમ કેટલી ડરતી હશે ?
પાંચ
પતિની પત્નિ દ્રોપદી દાસી કહેવાણી હશે,
અધર્મની
સંભાનું વર્ણન કેમ કરતી હશે ?
ધર્મસ્થાપનામાં
વંસનો વેલો બળતો હશે,
આર્યવ્રતનો
વિધવંશ કેમ જોઇ શકતી હશે ?
સત્યવાદી,
ધર્મધારકનો રાજ્યાભિશેકનું વર્ણન લખતી હશે,
ત્યારે
કર્મનાં ફળનું વર્ણન કેમ કરતી હશે ?
યજ્ઞસૈનીના
દુઃખનો "મહિમા" કેમ લખતી હશે ?
ત્યારે
નૈનથી નિર વહાવીને સમદરને છલકાવતી હશે.
મહાભારતનું
મહાકાવ્ય કલમ લખતી હશે,
ત્યારે
કલમ કેટલી રડતી હશે ?
કલમ
કેટલી રડતી હશે...
કલમ
કેટલી રડતી હશે....
-
સંગીઅખિલ
"અખો"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો