sangeeakhil

રવિવાર, 27 ઑક્ટોબર, 2019

95. સંમદરમાં ખારાશ કેમ ?


એને કહ્યું એક સવાલ પુછું
સંમદરમાં ખારાશ કેમ આવી હશે ?
સરિતાનાં કાંઠે વિજોગણ રડતી હશે,
એની નૈન નિર વહાવી છલકાતી હશે.
ત્યારે સરીતા બે કિનારે વહેતી થઇ હશે,
સંમદરમાં વિજોગ ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
ઘરથી ધકેલી કાઢેલી વૃદ્ધ મા કાઠે રડતી હશે.
સરીતા દુઃખનું કારણ પુછતી હશે.
અંન્ન કાઢી આપીયા એને મા ગમતી નથી.
છાતીયે છાપી ધવરાવીયા એને મા ગમતી નથી.
ત્યારે દુઃખના આશુંથી સરીતા બે કિનારે વહેતી હશે.
સંમદરમાં દુઃખને ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
-     સંગીઅખિલ "અખો"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...