sangeeakhil

રવિવાર, 10 જુલાઈ, 2022

અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં છે.

અમદાવાદમાં કચરાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીની ગટર કચરાના કારણે બ્લોક થઈ જાય છે વરસાદનું બધું પાણી ઘરોમાં ઘુસી જાય છે. એવી એક કહેવત છે કે "જે ખાડો ખોદે તે પડે" તે અત્યારે સાચી પડે છે. આપણે કચરો જે તે જગ્યાએ ફેકી દેતા હોઈએ છીએ તે કચરો પાણીની ગટરોમાં ફસાઈ જતો હોય છે. તેના કારણે પાણી જઈ શકતું નથી. તે પાણી ઘરોમાં ઘુસી જાય છે. જો આપણે કચરો જ્યાં ત્યાં ના નાખીએ તો આજે ભર વરસાદે આવી સ્થિતિનો સામનો કરવાનો વારો ના આવ્યો હોત. આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનો વાંક કાઢતા હોઈએ છીએ, તો કચરાથી ગટરો બ્લોક કરવામાં પુરેપુરો વાંક આપણો છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો નહીં. કચરો આપણે કોઈ પણ જગ્યાએ ફેંકીશું નહીં, તો પાણી રોડ રસ્તા પર ભરાશે નહીં. ઘરોમાં પાણી આવશે નહીં. ઘરની ચીજવસ્તુઓ પળશે નહીં. કુદરત તરફ આપડે જેટલા વફાદાર રહીશું એટલું કુદરત આપણી તરફ વફાદાર રહીશે. 



By A. M. Kamejaleeya
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...