#ચિત્રોની રક્ષા
ઇન્કમટેક્સ બ્રિજના પિલર પર સ્વતંત્ર સેનાનીના ચિત્રો લગાવવામાં આવ્યા છે. જે અદ્દભુત દેખાય રહ્યા છે. જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રુપે લગાવવામાં આવ્યા છે. જેમાં મંગલ પાંડે, છત્રપતિ શિવાજી મહારાજ વગેરે જેવા અનેક ચીત્રો છે. તેની સાથે તેમનાં સુત્રો પણ લગાવવામાં આવ્યા છે. જે સુરવીરતાની એક ભાત પાડે છે. હવે જોવાનું એ છે કે રાજકારણીઓ , કંપનીઓ વગેરે જેવાના પોસ્ટરો આ ચિત્રોને ભૂંસીને તેમના નવા ચિત્રો ના લગાવે તો વધારે સારું. "જબ હૌસલે બુલંદ હોં, તો પહાડ ભી એક મીટ્ટી કા ઢેર લગતા હૈ," આ વાક્ય છત્રપતિ શિવાજી મહારાજનું છે તે મોટીવેશન માટે ઘણું ઉપયોગી છે. તેવું જ મંગલ પાંડે નું વાક્ય છે. "જબ આપ અપને દેશ કી રક્ષા કરતે હો તો ધર્મ કી રક્ષા સ્વયં હો જાતી હૈ." હવે આ સ્વતંત્ર સેનાનીના ચિત્રોની રક્ષા આપણે કરવાની છે.
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો