જે માણસ સારા વિચારોથી ધનવાન હોય તેને પૈસાથી ધનવાન થવાની કોઈ જરૂર નથી. આ પુસ્તકમાં પુષ્કળ પ્રમાણમાં Philosophy નો ઉપયોગ થયો છે. Law of Attraction નો ઉપયોગ થયો છે. એક ભૌતિક વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવા છતાં હું કહું છું કે જ્યાં ભૌતિક વિજ્ઞાન કામ નથી આવતું ત્યાં તત્વજ્ઞાન કામ આવે છે. સારી રીતે સમજો તો આની પાછળ પણ ભૌતિક વિજ્ઞાન છે. જે તરંગ સ્વરૂપે કામ કરે છે. અને તરંગ એ એક પ્રકારની એનર્જી જ છે. પોઝીટીવ વિચારથી પોઝીટીવ એનર્જી આવે છે, અને આ પોઝીટીવ એનર્જી બગડેલા સંબંધો સારા પણ કરી શકે છે. સિદ્ધિના શીખરો સર પણ કરાવી શકે છે. આ પુસ્તક વાંચ્યા પછી હૂં પોઝીટીવ એનર્જી અનુભવું છું. ગુસ્સો થોડો કંટ્રોલ કરી શકું છું. ભલામણ એટલી જ છે કે તમારી નજરમાં આ પુસ્તક આવે એટલે વાંચી જ નાખવાનું.
![]() |
By A. M. Kamejaleeya

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો