sangeeakhil

બુધવાર, 28 ડિસેમ્બર, 2022

13. Sweet Poison | Midnight Love Line

13. Sweet Poison

            પ્રેમ એ મધુર ઝેર છે. જે પીવે છે તેને ધીરે ધીરે તેની અસર થતી જાય છે. જે નથી પીતા તેને તે પીવાની અતિ તીવ્ર ઈચ્છા થાય છે. તેથી જ પ્રેમને સ્વિટ પોઈઝન કહેવામાં આવે છે. સ્વિટ પોઈઝન સૌથી પહેલા આંખોથી પીવાય છે, ત્યાર બાદ હોંઠોથી પીવાય છે અને છેલ્લે શરીરથી પીવાય છે. હાલ આ ઝેર સોશ્યલ મીડિયાથી સૌથી વધારે લેવાય રહ્યું છે. જે એની ટાઈમ જોઈએ એટલું મળે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે આપણે પ્રેમથી કોસો દુર રહેવા માંગતા હોઈએ ત્યારે સામેથી આવીને કોઈને કોઈ સ્વિટ પોઈઝન આપી જાય છે. ત્યારે પોતાના કેરીયરને ઝેરમાં ડુબાડીને મારી નાખવામાં આવે છે. એક વાસ્તવિકતા એ પણ છે કે જ્યારે પ્રેમ તાકાત બંને છે ત્યારે દેશની અઘરામાં અઘરી ગણાતી UPSC જેવી એક્ઝામ આસાનીથી ક્લિયર થઈ જાય છે. પણ આવા કિસ્સાઓ હજારોમાં એક જ હોય છે. બન્ને વ્યક્તિ મેચ્યોર હોય છે. એકબીજાને સમજતા હોય છે. હાલ એકબીજાને સમજવામાં નહીં પણ એકબીજાને ઉતારી પાડવામાં, મતલબ નીકળી ગયા પછી તરછોડી દેવામાં, શરીરની ગરમી નીકળી ગયા પછી લાત મારવામાં, અને પૈસા ખુટી ગયા પછી રિસ્પેકટ (સ્વમાન જાળવવામાં) કરવામાં આવતી હોતી નથી. ત્યારે આ સ્વિટ પોઈઝન અતિ તીવ્ર ઝેરી બની જાય છે. માણસનો જીવ પણ લઈ લે છે. દેશ અને દુનિયામાં રોજના હજારો સુસાઈડના કેસ બને છે. તેની શરુઆત આવા સ્વિટ પોઈઝનથી જ થયેલી હોય છે. માટે જ આવું સ્વિટ પોઈઝન કેટલું લેવું, ક્યારે લેવું, અને ક્યારે છોડી દેવું તેનું જ્ઞાન હોવું જરૂરી છે. 

#Midnight_Love_Line 

By A. M. Kamejaleeya

શહેરના લોકો ઠંડીથી દુઃખી ત્યારે ગામડાં લોકો ઠંડીથી ખુશ છે.

શહેરના લોકો ઠંડીથી દુખી ત્યારે ગામડાં લોકો ઠંડીથી ખુશ છે.

ગુજરાતમાં દિવસે દિવસે ઠંડી વધતી જાય છે. એક બાજુ શહેરના લોકો બહાર નિકળતા ડરે છે, ત્યારે બીજી બાજુ ગામડાંના લોકો ખુશ જોવા મળે છે. કારણ કે શિયાળું પાક ઠંડા વાતાવરણમાં સારો થાય છે. જેમ કે ઘઉં, વરીયાળી, જીરું વગેરે જેવા પાકો ઠંડા વાતાવરણમાં સારી ઊપજ આપે છે. તેથી ગામડાંના ખેડુતો ખુશ જોવા મળે છે. 

By A. M. Kamejaleeya

રવિવાર, 11 ડિસેમ્બર, 2022

#તું તારી જાતને પુછ...

#તું તારી જાતને પુછ...


કોઈને છેતરીને તું પોતાને જ સાલાખ સમજે છે,
તારી આત્માને પોતાનાથી જ બેવકુફ બનાવે છે. 
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

કોઈના  રહૃય ચીરીને, પોતાના જ  ચહેરા શણગારે છે,
પથારીમાં પરાયાં ફેરવીને, પોતાને હોશીયાર બતાવે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

બીજાને ખુશ રાખવા પોતાના જ પ્રિયજનથી જૂઠું બોલે છે,
દુઃખમાં સાથ આપનારને હડસેલીને પારકાને પોતાના કરે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

કોઈની આંખના  આંસુ વહાવી, 'અખિલ' પોતાને ખુશ બતાવે છે,
ચોરી ઉપરથી સીના ચોરી, આમ પેટમાં ઉતરીને પગ લાંબા કરે છે.
તું તારી જાતને પુછ, આ તું શું કરે છે. ?

— સંગીઅખિલ 'સંગ'


મંગળવાર, 6 ડિસેમ્બર, 2022

મારા તરફનો પ્રેમ

જાતને પૂછી તો જો, ખખડાવેલી સાંકળથી દરવાજા ખુલ્યાતા કે નહીં,
અંધારામાં મળવા  આવેલા  મહેમાન પછી "અખિલ" મળ્યાતા કે નહીં.
એમને ક્યાં ખબર છે અમે ત્યાં જ ઉભાતા એકલા વાટ જોઈ એમની.
શિયાળાની કડકડતી ઠંડીમાં, પછી 'સંગ' શયનખંડમાં મળ્યાતા કે નહીં.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ


સોમવાર, 5 ડિસેમ્બર, 2022

12. સુસાઈડ | Midnight Love Line

12. સુસાઈડ

     સુસાઈડ કરવાનો વિચાર કેમ આવે. ? સ્વભાવિક રીતે જ આ પ્રશ્ન આપણા મનમાં ઉદ્દભવે એવું બને. હદ બહારનું તમે કોઈને ચાહતાં હોય અને એ જ વ્યક્તિ તમને છોડી દે તો આવો વિચાર આવે. તમે જેને પોતાની જાત કરતાં પણ વધારે ચાહતાં હોય અને એજ કોઈ બીજાની પથારી ગરમ કરવા લાગે તો આત્મહત્યા કરવાનો વિચાર આવે. હવા પણ જો તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો હવાથી પણ દુશ્મની કરી લે. કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિને આટલી હદ સુધી પ્રેમ કરે અને એ જ વ્યક્તિ પેટમાં ઊતરીને પગ લાંબા કરે તો આવો વિચાર આવે. મનની અંદર સતત તે વ્યક્તિના વિચારો ચાલતા હોય, તેને બીજું કઈ સુઝતું ના હોય. આવા વિચારોને દુર કરવા પોતાની જાતને મારી નાખવી તેને સહેલી લાગતી હોય. દરેક ક્ષણે મરવા કરતાં એક વાર મરવું સારું, એવા વિચારો સતત ચાલતા હોય. સુસાઈડ એ સોલ્યુશન નથી પણ મુક્ત થવાનો એક વિકલ્પ છે એવું તેને લાગતું હોય. ત્યારે મનોચિકિત્સકની મદદ લો. જ્યારે પણ આવા વિચારો આવે ત્યારે સૌથી નજીકના મિત્રને મળો. ત્યાં તમારું હૈયું ઠાલવો. આવા વિચારો 21 દિવસ સુધી આવશે તેના પછી ઓટોમેટિક તે બંધ થવા લાગશે. તમારી દુનિયા એ વ્યક્તિ હોય શકે પણ તમારા માતા-પિતાની, તમારા ભાઈ - બહેનની, તમારા પરિવારની, તમારા મિત્રોની દુનિયા તમે છો. એટલું યાદ રાખવું આવું કોઈ પગલું ભરતાં પહેલાં. જ્યારે કોઈ એક દરવાજો બંધ કરે છે ત્યારે ભગવાન બીજા દસ દરવાજા ખોલી નાખે છે. એટલે કે કોઈ એક છોકરી તમને છોડીને જાય તો ભગવાન તમને એવી દસ મોકલી દે છે. જે વ્યક્તિ તમને છોડીને જાય એ વ્યક્તિ તમારી હતી જ નહી, અને જે હશે તે તમને છોડીને જશે જ નહીં. જે પોઝીટીવ વિચાર છે તેનાં જીવનમાં હંમેશા પોઝીટીવ થશે. લૉ ઓફ એટ્રેકશન બધા જ સમયે અને બધી જ પરીસ્થિતીમાં કામ કરે જ છે. બાકી હું તો છું જ એની ટાઈમ ફોન અથવા મેસેજ કરી શકો છો.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

Gujarat Vidhansabha election 2022 | આટલું ઓછું મતદાન કેમ ?

Gujarat Vidhansabha election 2022
આટલું ઓછું મતદાન કેમ ?



ખુશરો દરિયા પ્રેમ કા, ઉલ્ટી વા કી ધાર, જો ઉતરા ઓ ડુબ ગયાં, જો ડુબા ઓ પાર.


 

રવિવાર, 4 ડિસેમ્બર, 2022

11. Cheat || છેતરપિંડી || Midnight Love Line

11. Cheat || છેતરપિંડી


      ચીટ કરીને તમે થોડા ટાઈમ માટે આનંદ તો અનુભવી શકો છો પણ પછીથી એ કાયમને માટે પીડા આપે છે. તમારા પ્રેમીથી કે પછી તમારા પતિથી છેતરપિંડી કરીને પરાયા પુરુષ સાથે થોડો સમય સહવાસ તો ભોગવી શકો છો પણ જયારે એ પાપ બહાર આવે છે ત્યારે દુઃખ અને દર્દ સિવાય બીજું કશું જ મળતું હોતું નથી. તમારી વેલ્યુ તમે સમાજમાં ખોય બેસો છો, તમારી ઈજ્જત સોસાયટીમાં રહેતી નથી. તમારા પરિવારના સભ્યો તમારાંથી દુર ભાગે છે. જો સ્ત્રી હોય તો આવી સ્ત્રી ઉપર અન્ય પુરુષો મોકાનો ફાયદો ઉઠાવીને પુરો ટ્રાય મારવાનો પ્રયાસ કરે છે. તમારું પરિવાર જ તમને જોયા જાણ્યા વગરના પાત્ર સાથે પરણાવી દેશે. પ્રેમી અથવા પતિને છેતરપિંડી ના કારણે ધણીવાર પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જે આપણે રોજના અખબારોમાં વાંચતા હોઈએ છીએ. તેના કારણે છેતરપિંડી કરનાર પાત્રને જેલમાં પણ જવું પડે છે. જો બન્ને બાજુથી છેતરપિંડી થતી હોય તો કદાચ આવું પરિણામ ના પણ મળે. અત્યારના સમયે એક પુરુષ ઘણી બધી છોકરી સાથે રિલેશનમાં રહેતો હોય છે, તેવી રીતે એક છોકરી પણ ઘણા બધા છોકરાઓ સાથે રિલેશનમાં રહેતી હોય છે. એકાબીજાને એકાબીજા વિશે પુરી ખબર હોવા છતા રિલેશનમાં રહેતાં હોય છે. જે પશુ - પ્રાણી જેવું જીવન જીવવા લાગે છે. કોઈ પણની સાથે સંસાર જીવન જીવવા લાગે છે. જેનું પરિણામ હંમેશા દુઃખદાયક જ આવે છે. જેના કારણે ઘણા બધા ગુપ્તરોગોના શિકાર પણ બનતા હોય છે. છેતરપિંડી કરવાનો સમય જ ના આવે તેવો સંબંધ સ્થપાય તો જ વિશ્વાસ અને પ્રેમ ટકી રહે છે.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

શનિવાર, 3 ડિસેમ્બર, 2022

10. સલાહકાર || Midnight Love Line

10. સલાહકાર

જીવનની અંદર કોઈ દિવસ સલાહકાર નબળો ના રાખવો. તેમા પણ જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે ખાસ ધ્યાન રાખવું. કારણ કે ત્યારે તમારા સલાહકારો વધી જશે. સલાહકાર નબળો હશે તો નદીમાં તણાતા છોડી દેશે, અને સારો હશે તો શિખરની ટોચ પર બેસાડી દેશે. નબળા સલાહકારથી લક્ષ્મી લુટાતા વાર નહીં લાગે અને તમારો જ સલાહકાર તમને યુઝ કરશે. તે તમને એવી સલાહ આપશે જે તમને ગમતી હશે, તમારા માટે સારી હશે તેવી સલાહ નહી આપે. તમે જ્યારે પ્રેમમાં હો ત્યારે તમારી પ્રેમિકા તમારી સલાહકાર હોય છે, જો તે નબળી સલાહ આપશે તો તમારું આનંદ ભર્યું જીવન લાંબો સમય ચાલશે નહી. તે તમને કોઈ સલાહ જ નહી આપે તે પણ સારુ ના કહેવાય. માત્ર એક છોકરીએ સાથે ચાલવાની જ નહી પણ જરૂર પડે ત્યારે ખંભાથી ખંભો મીલાવવાની પણ જરૂર હોય છે. તે જ એક સાચી સલાહકાર કહેવાય. પ્રેમિકાએ પ્રેમી સિવાયનો સલાહકાર રાખ્યો હશે અને તે ખોટી સલાહ આપશે તો બન્ને વચ્ચે તિરાડ પડતાં વાર નહી લાગે. તમે ભેગા ખાતા હશો, ભેગા રહેતાં હશો, ભેગા ફરતાં હશો, ભેગા એકાંત ભોગવતાં હશો તે સતા સેકન્ડના સાઠમાં ભાગમાં તમારું પ્રેમાળ અને આનંદમયી જીવન તે ઝેર જેવું બનાવી નાખશે. તમારો પ્રેમી તમને દુશ્મન લાગશે અને વિક્રૃત બુદ્ધિનો સલાહકાર અતિ પ્રિય લાગશે. કાનભભણી કરે તેવા સલાહકારને તમારાથી દુર રાખો. તે માત્ર તેનો ફાયદો શોધતો હોય છે. તે શારીરિક ફાયદો હોય કે પછી આર્થિક હોય. તે કામ નિકળી ગયા પછી તું કોણ અને હું કોણ જેવું વર્તન કરશે. એટલે જ કહેવાય છે કે જેનો સલાહકાર નબળો તેનું જીવન નબળું. 

#Midnight_Love_Line 

By A. M. Kamejaleeya

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...