sangeeakhil

રવિવાર, 29 જાન્યુઆરી, 2023

પેપર લિક થાય છે કે લિક કરાવવામાં આવે છે ?

પેપર લિક થાય છે કે લિક કરાવવામાં આવે છે ? 56ની સાતી સીટ જીતવામાં નહી પણ પેપર લિંક થતા અટકાવવા બતાવવાની જરૂર છે. ગઈ 8 ડિસેમ્બરે ગુજરાતની જનતાએ 182માંથી 156નું પરિણામ આપ્યું હતું અને સરકારે તેનું પહેલું પરિણામ પેપર લિક કરીને ગુજરાતની જનતાને આપી દીધું છે.
સવાલ એ છે કે પેપર લિક થઈ જાય છે કે પછી પેપર લિક કરાવવામાં આવે છે ? પેપર લિક કરાવવાથી લાખો, કરોડો, અબજો રૂપિયા લેવામાં આવે છે. આ કામ કોઈ નાનો માણસ તો ના જ કરી શકે એ ગુજરાતના લોકો સારી રીતે જાણે છે, અને તે શક્ય પણ નથી. આની પાછળ કોઈ મોટી શક્તિ (તાકાત) અવશ્ય છે. આ કામ કરવા પાછળ વ્યક્તિ અને વિસ્તાર બદલાય છે પણ તાકાત તો તેની તેજ રહે છે.

પેપર લિક કૌંભાડ છે કે પછી કલાકારી છે તે સમજવું મુશ્કેલ છે. લોકોની નજરમાં કઈક અલગ બતાવવામાં આવી રહ્યું છે, અને પડદા પાછળ કઈક અલગ ચાલી રહ્યું છે. આ પડદા પાછળ કોણ છે તે કયારેય નજરમાં નહી આવે. કારણે કે પડદા પાછળના કલાકારો પડદાની આગળ આવી જશે તો પડદાની આગળ રહીને કામ કરવાવાળોનો ધંધો ભાગી જશે. પુરી સરકાર ભાગવાનો પણ સમય આવી જશે. સરકાર સારી રીતે જાણે છે કે છોકરાઓને કેવી રીતે સમજાવવાના છે. India: The Modi Question Documentary Teaming and Skinning થતી રોકાય શકે છે તો પેપર લિક થતા કેમ રોકાય શકતા નથી ?

કોઈપણ અધિકારીની બદલી શા માટે કરવામાં આવે છે ? તે જેતે જગ્યાએ મુકવામાં આવ્યો છે તેનાથી તે પુરેપુરો વાકેફ થઈ ગયો હોય છે તેના કારણે તેને વહિવટ કરવામાં સરળતા રહે છે. તેથી સમય અંતરે સમય અંતરે તેની બદલી કરવી જરૂરી બની જાય છે. ગુજરાતની જનતાએ છેલ્લા ઘણા વર્ષોથી સરકારની બદલી કરી નથી. તેનું પરિણામ આ આવવાનું જ હતું. આ વાક સરકારનો કે ગુજરાતની જનતાનો ? ગુજરાતની સિસ્ટમ ચડી ગઈ છે તેને ફેકીને નવી સિસ્ટમ લાવવી જ પડેશે. ગુજરાતનો વિદ્યાર્થી મત આપવા નથી જતો અને પેપર આપવા જાય છે તેનું આ પરિણામ છે.

ગુજરાતનો વિદ્યાર્થી એક પેપરની કિંમત સમજે છે પણ એક મતની કિંમત સમજ તો નથી તેનું આ પરિણામ છે.

By A. M. Kamejaleeya

શનિવાર, 28 જાન્યુઆરી, 2023

શાંતિની શોધમાં સ્મશાન સુધી

શાંતિની શોધમાં સમશાન સુધી

સ્મશાનમાં સમાચારપત્ર શાંતિથી વાંચી શકાય છે. સ્મશાન જેવી શાંતિ કદાચ ક્યાંય નથી. અહી એટલી શાંતિ હોય છે કે માણસ બળીને રાખ થઈ જાય છે, અને તેને પોતાને જ ખબર નથી રહેતી, એટલો તે શાંતિથી સુતો હોય છે. માણસને પોતાના પૈસાનો, પાતાના રૂપનો, પોતાના જ્ઞાનનો, પોતના બાહુબળનો અને પોતાની સાથે જોડાયેલા લોકોનો તેને એટલો અભિમાન હોય છે કે પોતાના કર્મો સારા કરવા કે ખરાબ તેને પોતાને ભાન નથી રહેતું. પોતાની ઈચ્છાઓને અને સુખ-સુવિધાઓને જ પોતાનું સુખી જીવન સમજી બેસે છે.



        જીવનની છેલ્લી યાત્રા એટલે સ્મશાન યાત્રા. આ એક જ એવી યાત્રા છે જ્યાંથી તે જાય છે લોકોની સાથે પણ તે ત્યાંથી કયારેય પાછો ઘરે આવતો નથી. આ એક એવી યાત્રા હોય છે લોકોની આંખોમાં આસું હોય છે, અને તે શાંતિથી એકદમ અલમસ્ત સુતેલો હોય છે. આ યાત્રા જેવી તેવી નથી હોતી વિધિવત્ત હોય છે. સ્મશાનમાં સુવરાવી બ્રહ્માણને સાથે રાખીને વિધિ કરવામાં આવે છે. આ યાત્રાની માઝા લેવા માટે માણસે એકવાર તો મરવું જ પડે છે, તો જ તે આ યાત્રાની શાંતિનો અનુભવ કરી શકે છે.

Photography By A. M. Kamejaleeya


ગયા શનિવારે (21/01/2023) હું શાંતિની શોધમાં નિકળેલો, નજીકમાં આવેલા વાડજ સ્મશાન ગૃહે પહોચી ગયો. કોઈએ મને કહ્યું હતું કે સ્મશાન જેવી શાંતિ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. મારી આંખની સામે ચિંતાઓ સળગતી હતી. અને જે સ્મશાન યાત્રામાં આવ્યા હતા તેમાથી મોટા ભાગના લોકો પોતાનો મોબાઈલ ઘુમડતા હતા. અમુક લોકો હસ્તા હતા. મને એ નહોતું સમજાતું કે જે માણસ બળી રહ્યો છે તેના જવાથી આ લોકો ખુશ થયા છે કે પછી દુઃખી થયા છે ? જો તમારે પણ શાંતિની શોધમાં જવું હોય તો સ્મશાન સુધી જઈ આવજો, તમને ચોક્કસ શાંતિની અનુભુતી થશે. તમે કેટલા વાસ્તવિક સુખી છો તેનો એહસાસ થશે.


By A. M. Kamejaleeya

શુક્રવાર, 27 જાન્યુઆરી, 2023

ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓ

ગુજરાતના ધારાસભ્યો

ગુજરાતના રાજ્યસભાના સાંસદો

ગુજરાતના લોકસભાના સાંસદો

બુધવાર, 18 જાન્યુઆરી, 2023

ગાંધી Caravan | ગાંધીગાન - ૧ | સિંગર : મેઘા ડાલ્ટન

ગાંધી Caravan કાર્યક્રમ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાય ગયો. સંજય તુલાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઝારખંડથી આવેલા મેઘા ડાલ્ટને કહ્યું કે ગાંધીને સમજવા માટે હૃદયની જરૂર છે. દુનિયાના દર બીજા માણસમાં ગાંધી છે. મેઘા ડાલ્ટન આગળ કહે છે કે કયારેય પણ માઈકના મહોતાજ નહી રહેવું જોઈએ. ક્યારેય મળશે પણ અને ક્યારેક નહી પણ મળે. વંદે માતરમ્ એટલું તો સુંદર રીતે પ્રસ્તુત કર્યું હતું કે સાંભળવાની મજા પડી ગઈ. તેના પછી મેઘા ડાલ્ટને "ભલા એકા દશે ગાંધી બાબા" આદીવાસી ગાંધી ગીત પ્રસ્તુત કર્યું હતું. "હીલે હીલે હીલે હીલેલા નદી કિનારે, ડોલે ડોલે ડોલે ડોલેલા ડુગા ઉપરે" ગીત એક સાથે બધા પાસે ગવડાવ્યું હતું. મહિલા એ માનસિક આઝાદી, આર્થિક આઝાદી હોવી જોઈએ. મહિલા જ સદીઓથી સમાજમાં બદલાવ લાવેલી છે. "મોર ટુટે ના ચરખા કે તાર ચરખવા ચાલુ રહે" આ ગીત વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્યા હતા. 'હો લાલ મેરી પટ રખિયોં, બાલા ઝૂલે લાલન, લાલ મેરી પટ રખિયોં બાલા ઝૂલે લાલન, સિંધરી ડા સેહવાન ડા સખી શબાજ઼ કલૈંડર', આ ગીતથી તો બધા તાનમાં અને રાગમાં આવી ગયાં હતાં. 'મહાદેવા' થી સંકરની સ્તુતિ કરી. "રઘુ પતી રાઘવ રાજા રામ" "અબ મેરે દિલ બસા એક તું હૈ તું હૈ.." આ ગીત સાથે કાર્યક્રમનો અને તેમને તેમનાં ગીતનો અંત આપ્યો. છેલ્લે તેમને એક સરસ કરી કે "મેઘા લુપ્ત હો જાયેગી કિન્તુ મેરા ગીત કાયમ રહેગે." મેઘાજીને ગાંધીજીનો સરખો ભેટમાં આપ્યો અને કાર્યક્રમને પુરો કર્યો. 

જય જગત...









By A. M. Kamejaleeya

 

સોમવાર, 16 જાન્યુઆરી, 2023

વિચારો અને ધનવાન બનો | નેપોલિયન હિલ | બુક રીવ્યુ

જે માણસ સારા વિચારોથી ધનવાન હોય તેને પૈસાથી ધનવાન થવાની કોઈ જરૂર નથી. આ પુસ્તકમાં પુષ્કળ પ્રમાણમાં Philosophy નો ઉપયોગ થયો છે. Law of Attraction નો ઉપયોગ થયો છે. એક ભૌતિક વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવા છતાં હું કહું છું કે જ્યાં ભૌતિક વિજ્ઞાન કામ નથી આવતું ત્યાં તત્વજ્ઞાન કામ આવે છે. સારી રીતે સમજો તો આની પાછળ પણ ભૌતિક વિજ્ઞાન છે. જે તરંગ સ્વરૂપે કામ કરે છે. અને તરંગ એ એક પ્રકારની એનર્જી જ છે. પોઝીટીવ વિચારથી પોઝીટીવ એનર્જી આવે છે, અને આ પોઝીટીવ એનર્જી બગડેલા સંબંધો સારા પણ કરી શકે છે. સિદ્ધિના શીખરો સર પણ કરાવી શકે છે. આ પુસ્તક વાંચ્યા પછી હૂં પોઝીટીવ એનર્જી અનુભવું છું. ગુસ્સો થોડો કંટ્રોલ કરી શકું છું. ભલામણ એટલી જ છે કે તમારી નજરમાં આ પુસ્તક આવે એટલે વાંચી જ નાખવાનું. 



By A. M. Kamejaleeya 

રવિવાર, 15 જાન્યુઆરી, 2023

એકમ – 5 | 5.03. સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિકાસ | પ્રશ્નપત્ર - 15 - વિકાસ પ્રત્યાયન

 એકમ – 5 | 5.03. સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિકાસ

જવાબ. જેનું નાણાંકીય અને વહીવટી સંચાલન જે તે સંસ્થાના સભ્યો (ટ્રસ્ટી) દ્વાર થતું હોય. બિનસરકારી સંસ્થાઓમાં કામગીરી માટે મોટાભાગે કોઈ બિનસરકારી સંગઠન દ્વારા પૈસા અપાતા હોય છે. સાદી ભાષામાં કહીએ તો, કોઈ ફંડિંગ ઍજન્સી દ્વારા જે તે કામગીરી માટે ફંડ આપવામાં આવતું હોય છે. જેમ કે, નવસર્જન ટ્રસ્ટ – સાણંદ, સેવા સંસ્થા – અમદાવાદસ, અવાજ સંસ્થા, આનંદી સંસ્થા – દાહોદ, નૈસર્ગિક ટ્રસ્ટ – બનાસકાંઠા, કચ્છ મહિલા વિકાસ સંસ્થા – કચ્છ, સર્વોદય સંસ્થા – બનાસકાંઠા, વગેરે.

·         સ્વૈચ્છિક સંસ્થાનું નિર્માણ અને તેનું સંચાલન

સ્વૈચ્છિક સંસ્થા (NGO) ચાર વિભાગમાં કામ કરે છે.

1.       લોકશિક્ષણ

2.       લોકસંગઠન

3.       રચનાત્મક કાર્ય

4.       સંશોધનનું કાર્ય

સોસાયટી રજીસ્ટેશન એક્ટ 1860 હેઠળ સંસ્થાનું રજીસ્ટેશન કરાવવું. કંપનીનું રજીસ્ટેશન કરાવવા માટે કંપની એક્ટ 1956 સેક્શન 25 હેઠળ નોધણી કરાવવી જે તે જીલ્લામાં નાયબ મદદનીશ ચેરીસ્ટ્રેટ કચેરીમાં નિયત ફોર્મમાં નિયત ફી સાથે અરજી કરવામાં આવે છે. નોંધણી પછી દર વર્ષે 31 માર્ચના રોજ પુરા થતા નાણાકીય વર્ષનું તાજેતર અથવા ઓડીટ રજુ કરવાનું હોય છે.

·       સ્વૈચ્છિક સંસ્થાનું નિર્માણ

સંસ્થા ચાલુ કરવા માટે બંધારણ નક્કી કરવું પડે છે.

હેતુ કેવા પ્રકારના હોવા જોઈએ.

1.       શિક્ષણલક્ષી

2.       સમાજલક્ષી

3.       આરોગ્યલક્ષી

પ્રમુખ સહમંત્રી ટ્રસ્ટીઓ વગેરેની નિમણુક કરવી. ટર્મ અને કંડીશન નક્કી કરવી.

·         નોંધણીની વિગત

-     કંપની એક્ટ 1956 સેક્શન 25 હેઠળ નોંધણી કરાવવી જે તે જીલ્લામાં નાયબ મદદનીશ ચેરીસ્ટ્રટ કચેરીમાં નિયત ફોર્મમાં નિયત ફી સાથે અરજી કરવામાં આવે છે. સોસાયટી રજીટ્રેશન એક્ટ 1860 હેઠળ જે તે સંસ્થાનું રજીસ્ટેશન કરાવવું. કાર્યક્ષેત્ર કેટલું રાખવું તે મક્કી કરવું તાલુકા, જીલ્લા  કે તે થી વધારે વિસ્તાર પુરતું સીમિત છે તે નક્કી કરવું. સંસ્થાનું નામ કરણ કરવું. કઈ કઈ વ્યક્તિ તથા એજન્સીનો સહકાર લવાનો છે તે જણાવવું. આર્થિક એકમો તૈયાર કરવા.


   આ સિવાય બિનસરકારી સંસ્થાઓના પેટા વિભાગ જોઈએ તો સ્વૈચ્છિક સંસ્થાઓ, સમુદાય આધારિત સંગઠનો અને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી આવે છે. અહી આપણે તેને વિગતવાર સમજીશું


1. સ્વૈચ્છિક સંસ્થા

જે કોઈ સરકાર અને ફંડિંગ એજન્સી બંનેમાંથી કોઈ પાસેથી ફંડ લેતી નથી પણ જરૂર પડ્યે પોતાના રિસોર્સના માધ્યમથી કામગીરી કરે છે. ક્યારેક સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓ કૈક પ્રોડક્ટ/વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરીને પણ પૈસા ઉભા કરી લે છે. મોટે ભાગે સમાજનો જરૂરિયાતવાળો સમુદાય જ તેની મદદ માટે આગળ આવે છે. જેમ કે, સેવા કાફે, ગ્રામશ્રી, દલિત હકરક્ષકમંચ, પત્ની અત્યાચાર પીડિત મંચ, વગેરે.

2. સમુદાય આધારિત સંગઠન

એવી સંસ્થાઓ  કે સંગઠન કે જે અસરગ્રસ્ત સમુદાયના લોકો દ્વારા જ ઊભું થયું હોય અને સમુદાયના જ કેટલાક લોકો દ્વારા સંચાલિત હોય તેને સમુદાય આધારિત સંગઠન કહે છે. તે સમુદાયના લોકો સિવાય અન્ય લોકોની પણ મદદ લઈ શકે છે. જેમ કે , એઈડ્સ કંટ્રોલ સોસાયટી, અંધજન મંડળ, મજૂર અધિકાર મંચ, વગેરે.

3. કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી માટે કામ કરતી સંસ્થા

    આ વર્તમાન સમયમાં ઝડપથી વિકસી રહેલું ક્ષેત્ર છે. સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રાઈવેટ કંપની અમુક રકમથી વધુ નફો કરે તો તેને તે નફાના 2 ટકા લેખે નાણા સમાજોપયોગી કામોમાં ખર્ચવાના હોય છે. તેથી આ કામગીરી માટે જે ફાઉન્ડેશન, અંબુજા ફાઉન્ડેશન, એલ. એન્ડ ટી. ફાઉન્ડેશન, વગેરે. કેટલીક કંપની પોતાની સંસ્થા ઊભી કરવાને બદલે અન્ય સંસ્થાને આર્થિક મદદ પણ કરે છે. જેમકે તાતા ટ્રસ્ટ એ અન્ય ઘણી સંસ્થાઓને આર્થિક મદદ કરે છે, કોટક મહિન્દ્ર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલીયમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, વગેરે સંસ્થાઓ પણ આ રીતની મદદ કરે છે.




બિન-સરકારી સંસ્થાઓ (NGO)ને વિસ્તુત સમજીએ 

વિશ્વ બંક દ્વારા વ્યાખ્યાયિત કર્યા મુજબ એનજીઓ એ બિન – લાભકારી સંસ્થાઓનો સંદર્ભ આપે છે દુઃખ દુર કરવા, ગરીબોના હિતોને પ્રોત્સાહન આપવા, પર્યાવરણનું રક્ષણ કરવા, મૂળભૂત સામાજીક સેવાઓ પ્રદાન કરવા અથવા સમુદાય વિકાસ હાથ ધરવા પ્રવૃત્તિઓ કરે છે.

આ સંસ્થાઓ સરકારનો હિસ્સો નથી, કાનૂની દરજ્જો ધરાવે છે અને સરકારના ચોક્કસ અધિનિયમ (સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ 1860 ) હેઠળ નોંધવામાં આવે છે.

ભારતમાં NGO શબ્દ સંસ્થાઓના વિશાળ સ્પેક્ટ્રમને સૂચવે છે જે બિન – સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક અથવા બિન – સ્વૈચ્છિક વગેરે હોઈ શકે છે.

ભારતમાં, તેઓ જે કાયદા હેઠળ કાર્ય કરે છે અને તેઓ જે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તેના આધારે, નાગરિક સમાજના જૂથોને નીચેની વ્યાપક શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે.

ચોક્કસ હેતુઓ માટે રચાયેલ રજિસ્ટર્ડ સોસાયટીઓ

ચેરિટેબલ સંસ્થાઓ અને ટ્રસ્ટો

સ્થાનિક હિસ્સેદારો જૂથો, માઈક્રોક્રેડિડ અને થ્રીફ્ટ એન્ટરપ્રાઈઝિસ, સ્વ-સહાય જૂથો

વ્યવસાયિક સ્વ-નિયમનકારી સંસ્થાઓ

સહકારી સંસ્થાઓ

કોઈપણ ઔપચારિક સંગઠનાત્મક માળખા વગરની સંસ્થાઓ

સરકારે ત્રીજા ક્ષેત્રની સંસ્થાઓને પ્રોત્સાહન આપ્યું.

એનજીઓની જરૂર 

આઝાદી પછી, ભારતે શિક્ષણ, આરોગ્યસંભાળ, ગરીબી નાબૂદી અને જીવનધોરણમાં અસાધારણ આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માટે...

વિકાસ પ્રક્રિયામાં મહિલાઓ, બાળકો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને બાકાત રાખવાના મુદ્દાઓ રજુ કરવા માટે...

અસમાન વૃદ્ધિના અન્ય પ્રતિકૂળ પરિણામોમાં નક્સલવાદનો ફેલાવો, આરક્ષણ માટે વારંવાર થતી હિંસા અને ખેડૂતોની આત્મહત્યાના સતત વધતા કિસ્સાઓને સમાપ્ત કરવા માટે...

2018ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 130માં ક્રમે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સને ઓછો કરવા કરવા માટે.

આવા વાતાવરણમાં નાગરિક સમાજ લોકોની ચિંતાઓ વધારવામાં અને લઘુમતીઓની ઉપેક્ષા ન થાય તે સુનિશ્વિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે...

રાજ્યને તેની વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં નાગરિક સમાજની રચનાત્મક અ સહયોગી જોડાણની જરૂરત પુરી કરવા માટે...

બિન સરકારી સંસ્થાઓ નાગરિક સમાજના કાર્યકારી હાથ તરીકે કાર્ય કરે છે આ રીતે વિકાસ પ્રક્રિયાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે...

NGO ના નાણાંનું નિયમન કરતા કાયદાઓ

ફોરેન  કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ), 2010

ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું વિદેશી ભંડોળ FCRA અધિનિયમ હેઠળ નિયંત્રિત થાય છે અને તેનો અમલ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

અધિનિયમો સુનિશ્વિત કરે છે કે વિદેશી યોગદાનના પ્રાપ્તકર્તાઓ ઉલ્લેખિત હેતુનું પાલન કરે છે જેના માટે આ પ્રકારનું યોગદાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

આધિનિયમ હેઠળ સંસ્થાઓએ દર પાંચ વર્ષે પોતાની નોંધણી કરાવવી જરૂરી છે.

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999

વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (1999) નો ઉદ્દેશ્ય બાહ્ય વેપાર અને ચૂકવણીને સરળ બનાવવા અને ભારતમાં વિદેશી વિનિમય બજારના સુવ્યવસ્થિત વિકસ અને જાળવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિદેશ વિનિમય સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે.

FEMA હેઠળના વ્યવહારને ફી અથવા પગાર કહેવામાં આવે છે જ્યારે FCRA હેઠળના વ્યાવહારને અનુદાન અથવા યોગદાન કહેવામાં આવે છે.

2016માં એનજીઓ પર દેખરેખ રાખવા માટે નાણાં મંત્રાલયની સત્તાઓ FEMA હેઠળ મૂકવામાં આવી હતી. વધુ સારી દેખરેખ અને નિયમો માટે વિદેશી યોગદાન મેળવતા તમામ એનજીઓને એક છત્ર હેઠળ લાવવાનો વિચાર હતો. આ સંસ્થાઓને માત્ર એક જ કસ્ટોડિયન મોનિટર દ્વારા વિદેશી ભંડોળનો પ્રવાહ સુનિશ્વિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.

ભારતમાં NGO માટે બંધારણીય જોગવાઈઓ

સંગઠનો બનાવવાના અધિકાર પર કલમ 19 (1) (સી)

કલમ 43 જે રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પર પ્રકાશ પાડે છે.

એન્ટ્રી 28માં સમવર્તી સૂચિ – સખાવતી સંસ્થાઓ અને ધર્માદા સંસ્થાઓ, સખાવતી અને ધાર્મિક એન્ડોમેન્ટ્સ અને ધાર્મિક સંસ્થાઓ વિશે ઉલ્લેખ કરે છે.

બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા

હિમાયત/સામાજિક સલામતી વાલ્વની ભૂમિકા

બિન-લાભકારી સંસ્થાઓ સામાજિક સમસ્યાઓ અને જરૂરિયાતો તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિક ભજવે છે.

તેઓ મુખ્ય વાહન છે જેના દ્વારા સમુદાયો તેમની ચિંતાઓને અવાજ આપી શકે છે.

સરકારી કામગીરીમાં સુધારો

NGO એ સુનિશ્વિત કરીને સરકારની જવાબદારીને વિસ્તૃત કરી શકે છે કે સરકાર સાંપ્રદાયિક હિતોને સંકુચિત કરવાને બદલે મોટા પ્રમાણમાં નાદરિકો માટે જવાબદાર છે.

તેઓ તેમની પોતાની સ્વતંત્ર નિપુણતા અને સંશોધન ટીમો લાવીને નીતિનિર્માણમાં નવીનતા અને લવચીકતાને પણ પ્રેરિત કરે છે.

તેઓ રહેવાસીઓની સંડોવણી દ્વારા સ્થાનિક સ્તરે ઘણી સેવાઓની ડિલિવરીની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

તેઓ નીતિ નિરીક્ષણ અને મૂલ્યાંકન પણ સુધારો કરે છે કારણ કે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) તેના અહેવાલો તૈયાર કરતી વખતે NGO દ્વારા અહેવાલો અને સામાજિક ઓડિટને સંજ્ઞાન લે છે.

સેવાની ભૂમિકા

બિન – લાભકારી ક્ષેત્ર એક લવચીક પદ્ધતિ તરીકે કાર્ય કરે છે જેના દ્વારા સામાજિક અથવા આર્થિક સમસ્યા વિશે ચિંતિત લોકો પ્રતિસાદ આપવાનું શરૂ કરી શકે છે.

તે વસ્તીના એવા જૂથોને પણ પૂરી કરે છે જેઓ સરકાર અથવા સમાજને ટેકો આપવા માટે તૈયાર હોય તે કરતાં વધુ જાહેર માલસામાનની શ્રેણી ઈચ્છે છે.

એનજીઓ રચનાત્મક સંઘર્ષના નિરાકરણમાં મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટ્રૅક II મુત્સદ્દીગીરી (બિન-સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે) વિશ્વાસ અને આત્માવિશ્વાસનું બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સમુદાયની ભાગીદારીનું નિર્માણ

બિન – લાભકારી સંસ્થાઓ વૈકલ્પિક પરિપ્રેક્ષ્યો પ્રદાન કરે છે, અને સૌથી અગત્યનું સમુદાયો સાથે અર્થપૂરણ સંવાદ કરવાની ક્ષમતા, ખાસ કરીને જેઓ વંચિત છે.

તેઓ બહુવચનવાદ, વિવિધતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. ઘણી એનજીઓ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને બચાવવા અને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. ઉદાહરણ તરીકે SPIC MACAY એ યુવાનોમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની એક સોસાયટી છે.

એનજીઓ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

હિમાયત, વિશ્લેષણ અને જાગૃતિ ઉભી કરવી – પ્રતિનિધિ અને સ્વ-નિયુક્ત બંને ધોરણે લોકો માટે અવાજ તરીકે કામ કરવું, સંશોધન, પૃથ્થકરણ અને મુદ્દાઓ વિશે લોકોને માહિતી આપવી, મીડિયા ઝુંબેશ અને સક્રિયતાના અન્ય સ્વરૂપો દ્વારા નાગરિકોની કાર્યવાહીને ગતિશીલ કરવી, અને વેપારી નેતાઓ અને નીતિ નિર્માતાઓની લોબિંગ.

બ્રોકરેજ – વિવિધ ક્ષેત્રો અને જૂથો વચ્ચે મધ્યસ્થી કરીકે કામ કરે છે.

સંઘર્ષનું નિરાકરણ – મધ્યસ્થી અને સહાયક તરીકે કામ કરવું.

ક્ષમતા નિર્માણ – શિક્ષણ, તાલિમ અને માહિતી પ્રદાન કરવી.

સેવાઓની ડિલિવરી – આવશ્યક માનવતાવાદી, વિકાસ અને/અથવા સામાજીક સેવાઓની ઓપરેનલ ડિલિવરી.

મૂલ્યાંકન અને દેખરેખ – સરકારી અને કોર્પોરેટ કામગીરી, જવાબદારી અને પારદર્શિતાના વોચડોગ અથવા તૃતીય પક્ષ/ સ્વતંત્ર ઓડિટર કરીકે સેવા આપવી, આમંત્રિત અને બિનઆમંત્રિત.

એનજીઓ સાથે સમસ્યાઓ

માન્યતા એ એક મોટો પડકાર છે કારણ કે કોઈ સંસ્થા હેતુ માટે કામ કરવા માંગે છે કે માત્ર સરકારી અનુદાન મેળવવાના હેતુથી જ સ્થાપવામાં આવી છે તે પારખવું ખૂબ જ મુશ્કેલ છે.

સરકારના ભંડોળ પર વધુ પડતી નિર્ભરતા એનજીઓની સરકાર વિરુદ્ધ બોલવાની ઈચ્છાને નબળી પાડે છે.

એનજીઓએ ભૂતકાળમાં સંગઠિત અપરાધ માટે કવર તરીકે કામ કર્યું છે અને ઘણીવાર કટ્ટરવાદી કારણો માટે મોરચા તરીકે જોવામાં આવે છે. વિદેશી ભંડોળ પ્રાપ્ત એનજીઓ ભારતમાં આંદોલનો કરવા અને વિકાસ પરિયોજનાઓને ખોરવવા માટે જવાબદાર છે.

એનજીઓ ઘણીવાર સદીઓ જૂની પરંપરા અને લોકોની સંસ્કૃતિ પર અતિક્રમણ કરતી જોવામાં આવે છે અને કેટલીકવાર સામૂહિક વિરોધ તરફ દોરી જાય છે. PETA દ્વારા PIL પછી જલ્લીકટ્ટ પર પ્રતિબંધ એ આવું જ એક ઉદાહરણ છે.

વે ફોરવર્ડ

એનજીઓ દ્વારા અનુપાલન સુનિશ્વિત કરવા માટે શિક્ષણવિદો, કાર્યકર્તા, નિવૃત્ત અમલદારોની બનેલી રાષ્ટ્રીય માન્યતા પરિષદ બનાવવી જોઈએ.

ગેરકાયદે અને બિનહિસાબી ભંડોળની દેખરેખ અને નિયમનના સંદર્ભ ગૃહ મંત્રાલય અને નાણાં મંત્રાલયો વચ્ચે વધુ સારો સંકલન હોવો જોઈએ.

એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની નાણાકીય પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે એક નિયમનકારી તંત્ર એ સમયની જરૂરીયાત છે.

આજે નાગરિકો તેમના જીવનને આકાર આપતી પ્રક્રિયાઓમાં સક્રિય ભૂમિકા ભજવવા આતુર છે અને લોકશાહીમાં તેમની ભાગીદારી મતદાનની વિધિથી આગળ વધે અને સામાજિક ન્યાય, જાતિય સમાનતા, સમાવેશ વગેરેનો સમાવેશ થાય તે મહત્વનું છે.



સદર્ભ

Google/ Internet

https___www.drishtiias.com_to-the-points_Paper2_non-governmental-organizations-ngos_print_manually


રવિવાર, 8 જાન્યુઆરી, 2023

તરંગ

તમે માનો યા ના માનો માનવ, દુનિયા અને બ્રહ્માંડ એક જ મેટરથી (દ્રવ્યનું) બનેલું છે, અને તે છે "તરંગ". મનમાંથી નિકળતા તરંગોથી તમે દર્દને મટાડી શકો છો, ધનવાન બની શકો છો, કોઈ પણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. તરંગ એ જ ભગવાન છે, તરંગ એ જ આત્મા છે, તરંગ એ જ પરમાત્મા છે, તરંગ એ જ ચેતના છે. તરંગ એ જ એનર્જી છે. તરંગ એ જ સર્વસ્વ છે.

By A. M. Kamejaleeya 

શુક્રવાર, 6 જાન્યુઆરી, 2023

ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?

ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?


      ગુજરાતમાં કાતિલ ઠંડી વધતી જાય છે. તાપણાંની તાકાતથી ગરમી શરીરને અપાય રહી છે. ગુજરાતના અમુક શહેરમાં 10 ડિગ્રી થી પણ ઓછું તાપમાન થઈ ગયું છે. લોકો રાત્રે બહાર નીકળતા પહેલા વિચારે છે. સવારે પથારીમાંથી ઊભા થવાનું મન નથી થતું. આ જોતાં એવું લાગી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. જો માનવજાત હજી નહી સમજે તો ભયાનક સ્થિતિ ઉભી થતાં વાર નહી લાગે. અમેરિકા અને કેનેડામાં બરફના વાવાઝોડાને લીધે કેટલાં બધાં લોકો મરી ગયાં. કેટકેટલાય લોકો ઘણા દિવસોથી ઘરમાં પુરાઈને રહ્યા છે. જો આપણે કુદરતની સાંકળ આમજ તોડતા રહેશું તો કુદરત આપણી શ્વાસની સાંકળ ક્યારે તોડી પડશે તેની આપણને ખબર પણ નહી રહે. શિયાળામાં ઠંડી વધારે પડવા લાગી છે. ઉનાળામાં ગરમી વધારે પડવા લાગી છે અને ચોમાસામાં વરસાદ વધારે પડવા લાગ્યો છે. કુદરતનું ચક્ર તદન બદલાઈ ગયું છે. કઈ ઋતુમાં શું થાય છે તેની કોઈને કોઈ જ ખબર પડતી નથી. નિષ્ણાતોના મનમાં એક પ્રશ્ન છે આ ગ્લોબલ સિસ્ટમ ક્યારે કંટ્રોલમાં આવશે ?


By A. M. Kamejaleeya

મંગળવાર, 3 જાન્યુઆરી, 2023

15. કાનભંભેરણી | Midnight Love Line

15. કાનભંભેરણી

         જ્યારે બે વ્યક્તિની વચ્ચે ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે ત્યારે કપલની અંદર ગમે તેટલો પ્રેમ કેમ ના હોય તે ખતમ થતાં વાર નથી લાગતી. મોટાં ભાગના ઘરો ભાંગવામાં અને છુટાછેડા થવાનું કારણ આવી કોઈ ત્રીજી વ્યક્તિની કાનભંભેરણી જ હોય છે. આવી ત્રીજી વ્યક્તિ સતત કાનભંભેરણી કરતી રહેતી હોય છે. જે શારીરિક, માનસિક અને આર્થિક રીતે પોતાને યુઝ પણ કરતી હોય છે અને કાનભંભેરણી કરીને વ્યક્તિનું ઘર પણ તોડતી જતી હોય છે. જો સમયસર આવી વ્યક્તિને પોતાની નજીકથી દુર ના કરી તો તમને તમારા પાર્ટનરથી એ દુર કરી દેશે. આવી કાનભંભેરણી કરવાવાળી વ્યક્તિ ટુંકા સમય માટે સારું સારું બોલીને સારું લગાડશે. અને જેવો મોકો મળશે કે તરત જ કોઈને કોઈ વસ્તુની માંગણી કરશે. જો તમે નય આપો તો તે નારાજ થઈ જશે. જ્યાં સુધી તેને વસ્તુ મળશે નહી ત્યાં સુધી તે વાત કરવામાં, કામ કરવામાં કે અન્ય પ્રવૃત્તિઓથી દુર રહેવાનો પ્રયત્ન કરશે. જેવી તેને તે વસ્તુ મળશે તે એકદમ રાજી થઈ જશે. થોડો સમય જશે એટલે પછી ફરીથી એનું એ જ શરૂ થઈ જશે. સતત તેની આવી પ્રવૃત્તિ ચાલતી રહશે અને કાનભંભેરણી કરતી રહશે. જ્યાં સુધી તમે તમારા પાર્ટનરથી દુર ના થઈ જાવ ત્યાં સુધી તેની આવી કોશીસ ચાલુ રહશે. જો તમારે તમારું વર્તમાન અને ભવિષ્ય સુધારવું હોય તો આનો એક જ ઉપાય છે. તમારી આજુબાજુ જેટલી પણ આવી કાનભંભેરણી કરવાવાળી વ્યક્તિ છે તેને દુર કરો.

#Midnight_Love_Line

By A. M. Kamejaleeya

1.03. ઓનલાઈન જર્નાલિઝમ | પ્રશ્નપત્ર - 16 - નૂતન માધ્યમોનો વિનિયોગ

1.03. ઓનલાઈન જર્નાલિઝમ | પ્રશ્નપત્ર - 16 - નૂતન માધ્યમોનો વિનિયોગ

#પ્રસ્તાવના

 

ઓનલાઈન પત્રકારત્વ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ, જેમ કે ન્યૂઝ વેબસાઈટ, સોશિયલ મીડિયા, બ્લોગ્સ, પોડકાસ્ટ અને ઓનલાઈન વિડિયો દ્વારા સમાચાર અને માહિતી પહોંચાડવાની પ્રથા છે. ઇન્ટરનેટના ઉદય અને પરંપરાગત પ્રિન્ટ મીડિયાના પતનને કારણે તે પત્રકારત્વનું વધુને વધુ લોકપ્રિય અને મહત્વપૂર્ણ સ્વરૂપ બની ગયું છે.

ડિજિટલ જર્નાલિઝમને ઓનલાઈન પત્રકારત્વ તરીકે પણ ઓળખાવામાં આવે છે. તે પત્રકારત્વનું સમકાલીન સ્વરૂપ છે જ્યાં સંપાદકીય સામગ્રીનું વિતરણ પ્રિન્ટ અથવા બ્રોડકાસ્ટ દ્વારા પ્રકાશિત કરવાને બદલે ઈન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે.





        ઓનલાઈન અથવા ઈન્ટરનેટ કોમ્યુનિકેશનને કોમ્પ્યુટર અને ફોન દ્વારા મેસેજ ટ્રાન્સમિશન તરીકે સમજવું જોઈએ. કમ્પ્યુટર ટેલિફોન લાઇન અથવા ઇન્ટરનેટ લાઇનની સાથે, ઇલેક્ટ્રિક પાવર પણ ઓનલાઇન સંચારમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. વિશ્વના વિકસિત દેશોએ ઓનલાઈન પત્રકારત્વને ખૂબ મહત્વ આપ્યું છે અને તેને સંબંધિત કાયદાઓ પણ બનાવ્યા છે. તેના પછી ઓનલાઇન જર્નાલિઝમે વિકાસની ગતિ પકડી છે.

જો કે ઓનલાઈન પત્રકારત્વમાં સૌથી યુવા શૈલી તરીકે વિકસી છે, તેની લોકપ્રિયતા વધી રહી છે. ટૂંકા ગાળામાં, તે પ્રિંન્ટ, રેડિયો અને ટેલિવિઝન જેવા પરંપરાગત માધ્યમોને પડકારવામાં સક્ષમ છે . ધીરે ધીરે, પરંપરાગત મીડિયા સંપૂર્ણપણે ઓનલાઈન પર નિર્ભર બની રહ્યું છે.

 

ઈતિહાસ

 

પ્રથમ પ્રકારનું ડિજિટલ પત્રકારત્વ, જેને ટેલિટેક્સ્ટ કહેવાય છે. 1969માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના સંશોધન નિષ્ણાતોએ પ્રાયોગિક રીતે ચાર કમ્પ્યુટરના નેટવર્ક ARPANET દ્વારા માહિતીની આપલે કરવાનું શરૂ કર્યું. 1970ના દાયકામાં તે ટેલેટેક્સ અને વિડિયોટેક્સમાં વિકસ્યું. 1990માં બ્રિટિશ વૈજ્ઞાનિક ટિમ વર્નર લીએ વેબસાઈટ બનાવવા માટે જરૂરી HTML કોડ વિકસાવ્યા. આનાથી વેબપેજનું નિર્માણ શક્ય બન્યું.

 

(Source - Wikipedia)

 

        પત્રકારત્વ નો વિકાસ થતો ગયો તેમ તેના માધ્યમો પણ બદલાતા ગયા. કોમ્યુનિકેશન ની શરૂઆત વાતચીત અને ઈસારા થી થઈ. માણસ ભાષા શીખ્યો એટલે પ્રિંન્ટ મીડિયા આવ્યું. તેમાંથી વિકાસ થઈને રેડિયો નું માધ્યમ આવ્યું. રેડિયો માં સમાચાર આપવાનું શરૂ થયું. તેના પછી ટીવી અને સિનેમા આવ્યું. આ માધ્યમથી લોકો દશ્ય જોઈ પણ શકતા અને સાંભળી પણ શકતા.

 

      ટેકનોલોજીનો જેમ વિકાસ થતો ગયો તેમ કોમ્પ્યુટર અને મોબાઈલ જેવા નવા માધ્યમો વિકસતાં ગયા. અત્યારે જોઈએ તો દુનિયા ના મોટા ભાગના દેશો પાસે ઈન્ટરનેટ ની સુવિધાઓ આવી ગઈ છે. લોકો અત્યારે પોતાના ખીસ્સામાં સ્માર્ટ ફોન રાખતાં થઈ ગયા છે. સ્માર્ટ ફોન આવવાથી સમાચાર પહોંચાડવાનું માધ્યમ પણ બદલાઈ ગયું છે. જે સમાચાર પહોંચાડવાનું કામ ટીવી અને પ્રિન્ટ મીડિયા કરતું તે અત્યારે સ્માર્ટ ફોન કરે છે. લોકો સમાચાર મોબાઈલ ફોનમાં જ જોઈ લે છે અને વાંચી લે છે. માધ્યમો એ ટીવી અને પ્રિન્ટ મીડિયા માં આપવાની સાથે મોબાઈલ ફોનમાં પણ આપવાનું શરૂ કરી દીધું છે. તે એટલું ઝડપી છે કે ઘટના બની હોય હોય તેની ત્રીજી ચોથી મિનિટે સ્માર્ટ ફોનમાં ઓનલાઈન આવી જાય છે.

 

ઓનલાઈન પત્રકારત્વ સમાચાર ઈવેન્ટના ઝડપી અને વધુ તાત્કાલિક રિપોર્ટિંગ તેમજ વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવાની ક્ષમતાને મંજૂરી આપે છે. તે વાચકો માટે વધુ ઇન્ટરેક્ટિવ અને આકર્ષક અનુભવ પણ પ્રદાન કરે છે, જેઓ લેખો પર ટિપ્પણી કરી શકે છે, તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે અને ચર્ચાઓ અને ચર્ચાઓમાં ભાગ લઈ શકે છે. (ChatGPT માર્ચ 14 સંસ્કરણ)

 

જો કે, ઓનલાઈન પત્રકારત્વ પડકારો અને નૈતિક મુદ્દાઓ પણ રજૂ કરે છે, જેમ કે સ્ત્રોતોની ચકાસણી કરવી અને ખોટી માહિતીનો ફેલાવો ટાળવો, તેમજ પત્રકારો અને સ્ત્રોતો બંને માટે ગોપનીયતા અને સુરક્ષાની ખાતરી કરવી. વધુમાં, ઓનલાઈન મીડિયામાં ક્લિકબાઈટ અને સનસનાટીભર્યા ઉદયને કારણે ઓનલાઈન પત્રકારત્વની ગુણવત્તા અને ચોકસાઈ અંગે ચિંતાઓ થઈ છે. (ChatGPT માર્ચ 14 સંસ્કરણ)

 

પડકારો હોવા છતાં, ઓનલાઈન પત્રકારત્વ એક મહત્વપૂર્ણ અને ઝડપથી વિકસતું ક્ષેત્ર બની રહ્યું છે, જેમાં ડિજિટલ યુગમાં સમાચાર પહોંચાડવા અને વપરાશ કરવાની રીતને આકાર આપવા માટે નવી ટેકનોલોજી અને પ્લેટફોર્મ સતત ઉભરી રહ્યાં છે. (ChatGPT માર્ચ 14 સંસ્કરણ)

 

 

 

 

#ભારતમાં ઓનલાઈન પત્રકારત્વ

ભારતમાં ઓનલાઈન પત્રકારત્વ એ પરંપરાગત મીડિયા અને વધતા બિલોગિંગ સમુદાય વચ્ચે વહેંચાયેલું વિકસતું ક્ષેત્ર છે.

#વૃદ્ધિ

ભારતીય અખબારો 1987ની શરૂઆતમાં લેખન અને પૃષ્ઠ લેઆઉટ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોવા છતાં તેઓ તેમના કાગળોની ઓનલાઈન આવૃત્તિઓ તરફ આગળ વધવામાં ધીમા હતા. 1998 સુધીમાં માત્ર અડતાલીસ પેપરની ઓનલાઈન આવૃત્તિઓ હતી. 2006 સુધીમાં, સંખ્યા વધીને 116 થઈ ગઈ હતી. હકીકત હોવા છતાં કે 2007માં ભારતમાં 42 મિલિયન ઈન્ટરનેટ વપરાશકર્તાઓ હતા અને તે ઓનલાઈન વસ્તીમાં પાંચમા ક્રમે હતું. ભારતમાં બોલાતી ભાષાઓની સંખ્યાને કારણે ઓનલાઈન ન્યૂઝ એડિશનની સંખ્યા ખાસ કરીને ઓછી જોવા મળે છે. અધિકૃત રીતે માન્યતા પ્રાપ્ત 22 ભાષાઓમાંથી, માત્ર 12 બિન-અંગ્રેજી ભાષાઓને ઓનલાઈન આવૃત્તિઓના સર્વેક્ષણમાં ગણવામાં આવી હતી.

 

ભારતમાં ઈન્ટરનેટનો પ્રવેશ ઓછો છે - માત્ર 3.7%. ઉપરાંત, મોટાભાગની વેબસાઈટ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, તેનાથી વિપરીત, ટ્વિટર યુઝર્સની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે છે .  LinkedIn એક જૂથ ઓફર કરે છે જે તે સેગમેન્ટ માટે વિશિષ્ટ સામગ્રી, જોડાણો અને નોકરીની તકો સાથે ભારતમાં ઓનલાઈન પત્રકારોને લક્ષ્ય બનાવે છે. લોકપ્રિય ચર્ચાઓ સભ્યોને તકો શેર કરવાની તક આપે છે, ઉદ્યોગને અસર કરતી પ્રવૃત્તિઓની ચર્ચા કરે છે.  હાઇ સ્પીડ ડેટા અને 4G અને LTE જેવી ઝડપી મોબાઇલ ડેટા સેવાઓના ઉદભવ સાથે, ભારતના કેટલાક શ્રેષ્ઠ ટીવી પત્રકારોના વિડીયો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. NDTV અને CNBC, ભારતમાં બે ટીવી ન્યૂઝ રિપોર્ટિંગ પાવર હાઉસ પણ મજબૂત ઓનલાઈન હાજરી ધરાવે છે. ભારતના ટોચના પાંચ પત્રકારો બધા સ્ટેશનોની રેન્કમાંથી આવે છે. પત્રકારો માટે બીજું ઊભરતું પ્રિય પ્લેટફોર્મ ટ્વિટર છે. તમામ ક્ષેત્રોના પત્રકારો - વ્યવસાય, રાજકીય, રમતગમત અને ધર્મ - વ્યક્તિ અથવા વિષયને અનુસરવામાં સરળતા  રહે છે. (Source – Wikipedia)

 

 

#પરંપરાગત મીડિયા કંપનીઓ

ભારતમાં 1995 સુધી ખાનગી વપરાશકારો માટે ઇન્ટરનેટ ઉપલબ્ધ નહોતું. 1998 સુધીમાં માત્ર 48 દૈનિક અખબારો હતા જે ઇન્ટરનેટ પર કાર્યરત હતા. 2006 સુધીમાં સંખ્યા સતત વધીને 116 અખબારો સુધી પહોંચી ગઈ છે અને ભારતમાં વધુ લોકો વેબની ઍક્સેસ મેળવતા હોવાથી તે વધવાની આગાહી છે. ઓનલાઈન ફોર્મેટ અપનાવનારા પ્રથમ અખબારો સામાન્ય રીતે અંગ્રેજી બોલતા હતા કારણ કે તેમની પાસે વૈશ્વિક પ્રેક્ષકો વધુ હતા. ન્યૂનતમ સ્ટાફ દ્વારા સંચાલિત હતા. કેટલાક કિસ્સાઓમાં સિંગલ એડિટર તૃતીય પક્ષ પ્રી-ફોર્મેટેડ ઈન્ટરફેસ પર ડેટા અપલોડ કરશે જે વાર્તાઓને સ્થાનિક સમાચાર, આંતરરાષ્ટ્રીય, રમતગમત વગેરે જેવા સામાન્ય શીર્ષકો હેઠળ પ્રકાશિત કરવાની મંજૂરી આપશે. ભારતમાં મોટા ભાગના ઓનલાઈન અખબારો તેમની વેબ આવૃત્તિઓ માટે જાહેરાતની આવક મેળવતા નથી અને મુખ્ય પેપરોને બાદ કરતાં મોટાભાગની વેબસાઈટ ખોટમાં ઓપરેટ થઈ રહી છે. મોટા ભાગના પ્રકાશનો આધુનિક વેબ સુવિધાઓ જેમ કે વિડિયો ક્લિપ્સ અથવા એમ્બેડેડ ઑડિયોનો સમાવેશ કરવામાં ધીમા રહ્યા છે. જાહેરાત આવકના અભાવને કારણે આર્થિક સદ્ધરતા સૌથી મોટી ચિંતાઓમાંની એક છે. (Source – Wikipedia)

 

#ટીકા

ભારતમાં ઘણા ઓનલાઈન અખબારોની ટીકા કરવામાં આવે છે કે પ્રકાશકો દ્વારા સામગ્રી વિશે થોડી કાળજી લેવાને કારણે ઉતાવળમાં એકસાથે અપલોડકરવામાં  આવે છે. મોટાભાગની વેબસાઇટ્સમાં "અમારા વિશે" અથવા પ્રતિસાદ જેવી સરળ સુવિધાઓનો અભાવ હોય છે. જ્યારે ટાઈમ્સ ગ્રૂપ જેવા મોટા પ્રકાશકો તેના લેખકો અને સંપાદકોના ઈમેલ એડ્રેસની યાદી બનાવશે ત્યારે ઘણા નાના દૈનિક અખબારો પાસે પ્રતિસાદ માટે તેમની વેબસાઈટ પર માત્ર એક સરળ જડિત બોક્સ હોય છે. આનાથી વાચકો માટે અખબારના સ્ટાફ સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. (Source – Wikipedia)

પ્રિન્ટ પ્રોડક્ટ્સ સાથેનું ઓનલાઈન મીડિયા, જેમ કે OPEN મેગેઝિન, મીડિયાના અન્ય સ્વરૂપો પર ચેક અને બેલેન્સ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. OPEN તોડ્યું કે બરખા દત્ત, જેને વ્યાપકપણે ભારતના ટોચના પત્રકાર તરીકે ગણવામાં આવે છે, તે રાડિયા ટેપ વિવાદ સાથે સંકળાયેલી હતી, જેની બહુ ઓછી પ્રિન્ટ મીડિયાએ ચર્ચા કરી હતી. રાડિયા, એક લોબીસ્ટ, 2G વાયરલેસ સ્પેક્ટ્રમના ઉપયોગ અને વેચાણ અંગે ભ્રષ્ટાચારમાં સામેલ હતો. તેણીની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો તેણીનો પ્રયાસ લડાયક શૈલીને કારણે અવરોધાયો હતો જેની સાથે તેણીએ તે કરવાનો પ્રયાસ કર્યો હતો. (Source – Wikipedia)

 

#વાચકો પર અસર

        ડિજિટલ પત્રકારત્વ વિશિષ્ટ પ્રેક્ષકો માટે તક બનાવે છે, લોકોને શું જોવું અને વાંચવું તે અંગેના વધુ વિકલ્પોની મંજૂરી આપે છે. ડિજિટલ પત્રકારત્વ સમાજ દ્વારા સમાચારનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેની ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. લેખક અને ગ્રાહક વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા નવી છે અને આનો શ્રેય ડિજિટલ પત્રકારત્વને આપી શકાય છે. (Source – encyvclopedia.pub)

 

#પ્રકાશકો પર અસર

            ન્યૂ યોર્ક ટાઈમ્સ જેવા ઘણા અખબારોએ સ્પર્ધાત્મક રહેવા માટે ઓનલાઈન સાઈટ બનાવી છે અને સમાચાર ઉપભોક્તાઓની યાદીમાં ટોચ પર રહેવા માટે ઓડિયો, વિડિયો અને ટેક્સ્ટ લિંકિંગનો લાભ લીધો છે કારણ કે મોટા ભાગના સમાચારનો ઉત્સાહ હવે તેમના આધાર સુધી પહોંચે છે.

પત્રકાર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ હવે પત્રકારત્વ કૌશલ્યમાં યોગદાન આપવા અને વિકસાવવા સક્ષમ થવા માટે ડિજિટલ પત્રકારત્વથી પરિચિત થવાની જરૂર છે. ટીકાકારો માને છે કે ડિજિટલ પત્રકારત્વે એવા વ્યક્તિઓ માટે કે જેઓ લાયકાત ધરાવતા પત્રકાર નથી, સામાન્ય લોકોને ખોટી માહિતી આપવાનું સરળ બનાવ્યું છે. ઘણા માને છે કે પત્રકારત્વના સ્વરૂપે એવી સંખ્યાબંધ સાઇટ્સ બનાવી છે કે જેની પાસે વિશ્વસનીય માહિતી નથી. (Source – encyvclopedia.pub)

 

#પરંપરાગત પત્રકારત્વ પર અસરો

ડિજિટલાઈઝેશન હાલમાં પરંપરાગત પત્રકારત્વ પ્રથામાં ઘણા ફેરફારોનું કારણ બની રહ્યું છે. સામાન્ય રીતે પત્રકારોની મહેનત ડિજિટલ પત્રકારત્વ પર વધુને વધુ નિર્ભર બની રહી છે. (Source – encyvclopedia.pub)

 

#પરંપરાગત પ્રેસની બહાર કામ કરો

ઈન્ટરનેટે એવા લોકો દ્વારા પણ વધુ ભાગીદારી નોંધાવી છે જેઓ સામાન્ય રીતે પત્રકાર નથી, જેમ કે ઈન્ડી મીડિયા (મેક્સ પેરેઝ) સાથે. ઓન-લાઈન પત્રકારત્વના અન્ય મહત્વપૂર્ણ સાધનો ઈન્ટરનેટ ફોરમ, ચર્ચા બોર્ડ અને ચેટ્સ છે, ખાસ કરીને તે સત્તાવાર મીડિયાના ઈન્ટરનેટ સંસ્કરણનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટના વ્યાપક ઉપયોગે ઈઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ અને પ્રથમ અને બીજા ચેચન યુદ્ધો જેવા ઘણા સંઘર્ષોમાં બંને પક્ષો માટે બેઠકનું સ્થળ બનાવવાની અનન્ય તક ઊભી કરી. ઘણી વખત સંઘર્ષના નવા, વૈકલ્પિક ઉકેલો શોધવાની અનોખી તક આપે છે, પરંતુ ઘણી વાર ઈન્ટરનેટ પક્ષકારોના વિરોધાભાસ દ્વારા અનંત "ઓનલાઈન લડાઈઓ"નું સર્જન કરીને યુદ્ધભૂમિમાં ફેરવાઈ જાય છે. ઈન્ટરનેટ રેડિયો અને પોડકાસ્ટ ઈન્ટરનેટ પર આધારિત અન્ય વિકસતા સ્વતંત્ર માધ્યમો છે. (Source – encyvclopedia.pub)

 

#બ્લોગ્સ      

ડિજિટલ મીડિયાના ઉદય સાથે, પરંપરાગત પત્રકારમાંથી બ્લોગર અથવા કલાપ્રેમી પત્રકાર તરફ આગળ વધ્યા છે. ઓનલાઈન સમાચાર પ્રકાશનોમાં પણ બ્લોગ હોય છે જે તેમના સંલગ્ન પત્રકારો અથવા અન્ય આદરણીય લેખકો દ્વારા લખવામાં આવે છે. (Source – encyvclopedia.pub)

#સમાચાર સંગ્રહ

            માર્ચ 2005 સુધીમાં વિકિન્યુઝ અન્ય સમાચાર સંસ્થાઓના લેખો ફરીથી લખે છે. ઈન્ટરનેટ પર રિપોર્ટિગ એક પડકાર બની રહે છે કારણ કે બદનક્ષી માટે કોઈપણ નેટ – વ્યાપી અભિગમની ગેરહાજરીમાં અભિગમની ગેરહાજરીમાં ચકાસણી અને કાનૂન જોખમોનો ભાર વધારે રહે છે. (Source – encyvclopedia.pub)

 

#ફાયદા

-     તે બીજા માધ્યમો કરતાં સસ્તું છે.

-     લોકોને સમાચાર જલદી મળી જાય છે.

-     પત્રકારત્વનું જ્ઞાન ધરાવતો કોઈ પણ વ્યક્તિ તે કરી શકે છે.

 

#ગેરફાયદા

-     લોકો પર તેની અસર ઓછી જોવા મળે છે.

-     તેના પર સેન્સરશીપ ના હોવાના કારણે બધા જ પ્રકારની સામગ્ર મુકવામાં આવે છે.

-     ફેક ન્યુઝ જલ્દી ફેલાય શકે છે.

 

#ઉપસંહાર

        ઓનલાઈન પત્રકારત્વ એ અતિ ઝડપી સમાચારોનું વહન કરતું એક માધ્યમ છે. તેના પર સેન્સરશીપ ના હોવાના કારણે બધા જ પ્રકારની સામગ્ર તેમા મુકાતી હોય છે. તેના કારણે પરંપરાગત માધ્યમોમાં તેની અસર જોવા મળે છે. તેના ઘણા ફાયદાઓ પણ હોય છે. અને તેના ગેરફાયદાઓ પણ છે.


By A. M. Kamejaleeya

જુનો પુલ બોલું છું...

#જુનો પુલ બોલું છું એક જુનો પુરાનો પુલ બોલું છું, હવે હું ટુંટવાની હાલતમાં છું. કહી દ્યો કોન્ટ્રાક્ટરોને સમારકામ કરવાનું રહેવા દે, સીમેન્ટ, ...